Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bharat Bandh LIVE: 'અગ્નિપથ' ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન, દેશના અનેક રાજ્યોમાં ધારા 144 લાગૂ

Bharat Bandh LIVE: 'અગ્નિપથ' ના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન, દેશના અનેક રાજ્યોમાં ધારા 144 લાગૂ
નવી દિલ્હીઃ , સોમવાર, 20 જૂન 2022 (09:16 IST)
અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. જેના કારણે રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. યુપીના નોઈડા અને રાજસ્થાનના જયપુર સહિત દેશના અન્ય ઘણા મોટા શહેરોમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે. , ભૂતકાળમાં, પ્રદર્શનકારીઓએ ઘણા રાજ્યોમાં રેલ્વે મિલકતોને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. અનેક જગ્યાએ રેલવે ટ્રેકને પણ નુકસાન થયું છે. તેને જોતા જીઆરપી એલર્ટ પર છે. રેલવે સ્ટેશનો અને સરકારી કચેરીઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. રાહુલ ગાંધી સામે
 
- હરિયાણા રાજ્યની ફરિદાબાદ પોલીસે ભારત બંધને ધ્યાનમાં રાખીને શહેરમાં કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 2000થી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરી છે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 12 પોલીસ બ્લોક લગાવ્યા છે અને વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા તે રાજ્યોમાં સામેલ છે જ્યાં અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ પ્રદર્શન થયા છે.
 
- સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે.
 
જંતર મંતર પર કોંગ્રેસનું પ્રદર્શન
કોંગ્રેસે જણાવ્યું છે કે કોંગ્રેસ નેતાઓ આજે સત્યાગ્રહ કરશે. આ પ્રદર્શન અગ્નિપથયોજના વિરુદ્ધ અને રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછના વિરોધમાં કરવામાં આવશે. તેઓ જંતર મંતર પર ભેગા થશે. 
 
બિહારમાં ઈન્ટરનેટ બંધ
ભારત બંધ દરમિયાન બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. અગ્નિપથ યોજનાના વિરોધમાં આ જિલ્લાઓમાં હિંસા થઈ હતી. સીએમ નીતિશકુમારે આજનો જનતા દરબાર કાર્યક્રમ પણ રદ કર્યો છે. 
 
દિલ્હી પોલીસ અલર્ટ
દિલ્હી તરફ મોટી સંખ્યામાં ટ્રેક્ટર કૂચ કરવાને લઈને દિલ્હીની તમામ બોર્ડર સીલ કરી શકવામાં આવે છે. ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર, અપ્સરા બોર્ડર, ગાઝીપુર બોર્ડર, બદરપુર બોર્ડર પર સુરક્ષાને લઈને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ હાઈ લેવલની બેઠક કરી છે. દિલ્હી પોલીસને એવા ઈનપુટ મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં ટ્રેક્ટર દિલ્હી તરફ કૂચ કરી શકે છે. 
 
ફરીદાબાદમાં પોલીસે ભારત બંધનું આહ્વાન જોતા સુરક્ષા કડક કરી છે. ભારત બંધના આહ્વાન પર ફરીદાબાદ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત તમામ તૈયારીઓ પૂરી કરી  લેવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે ફરીદાબાદમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કડક કરાઈ છે.
 
કોણે બોલાવ્યું છે બંધનું એલાન
અગ્નિપથ યોજના વિરુદ્ધ આ બંધનું એલાન સેનામાં નોકરીની કોશિશ કરી રહેલા અભ્યર્થીઓએ બોલાવ્યું છે. વિપક્ષે પણ ભારત બંધનું મૂક સમર્થન કર્યું છે. આજે ભારત બંધને પહોંચી વળવા માટે રેલવેએ પણ કમર કસી છે. RPF અને GRP ને ઉપદ્રવીઓને કડકાઈથી પહોંચી વળવાના નિર્દેશ અપાયા છે. એમ પણ કહેવાયું છે કે હિંસા કરનારાઓ પર આકરી કલમો હેઠળ કેસ દાખલ  થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Agneepath Yojana - અગ્નિપથ યોજના, જેને લીધે દેશમાં હિંસક વિરોધપ્રદર્શ