Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happpy Birthday PM- - જાણો પ્રધાનમંત્રી મોદી વિશે કેટલીક રોચક વાતો

Happpy Birthday PM- - જાણો પ્રધાનમંત્રી મોદી વિશે કેટલીક રોચક વાતો
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (07:52 IST)
-   100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી- ટાઈમ પત્રિકા (TIME magazine) દ્વારા રજુ 2021 ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો સમાવેશ છે
 
- ટાઈમ પત્રિકાએ મોદીને પસ્રન ઑફ દ ઈયર 2013ના 42 ઉમેદવારોની યાદીમાં શામેલ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની રીતે નરેન્દ્ર મોદી એક રાજનેતા અને કવિ છે. તે ગુજરાતી ભાષાના સિવાય હિંદીમાં પણ દેશપ્રેમથી ઓતપ્રોત કવિતાઓ લખે છે.
webdunia
જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારે તેમણે ભારતીય સૈનિકો(ભારત-પાક યુદ્ધ 1965)ના સ્વંયસેવક તરીકે કાર્ય કરતા અને તેમને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડતા. તેમણે 1967માં 17 વર્ષની વયે ગુજરાતમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરી હતી. તેઓ ઓબીસી ફેમિલીમાંથી હતા અને તેમને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી.
 
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા. જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.
 
હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ. તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
 
તેમની વ્યક્તિત્વ જોઈને ઘણી સ્ત્રીઓ તેમના તરફ આકર્ષતી હતી. તેમના ગઢ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ત્રીઓ માટે સેક્સ સિમ્બોલ છે.
 
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી .
 
મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.
 
13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.
 
આજે ભલે આ નામથી ખૂબ ઓછા લોકો પરિચિત હોય. અહી સુધી કે આરએસએસની નવી પેઢી માટે પણ આ નામ અજાણ્યુ છે. આરએસએસના વડીલ પ્રચારક કહે છે કે અમારા સમયમાં લોકો લક્ષ્મણ માઘવ ઈનમાદાર વકીલ સાહેનના ઉપનામથી તેમને ઓળખી શકે છે. તેમણે 30 થી 35 વર્ષનો સમય ગુજરાતમાં પસાર કર્યો. અહીના એક એક ગામ અને ગલી ગલીથી તે પરિચિત હતા.
 
મોદીજી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એ સમયે મોદીજીએ ગુજરાતમાં ખૂબ જ વિકાસની યોજનાઓ ચલાવી. ત્યારબાદ મોદીજી 26 મે 2014ના રોજ ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા અને સતત દેશની સેવા કરી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ICG એ ખરાબ હવામાનમાં દીવના દરિયા કિનારે સાત માછીમારોને બચાવ્યા