Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

Mahashivratri vrat and puja vidhi
, ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (13:41 IST)
Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિ ભરવાન શિવનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે.  આ દિવસે લોકો સમૂર્ણ મનથી ભગવાન શિવ ની પૂજા કરે છે અને તેમને મનપસંદ ઈચ્છા માંગે છે.  પરણેલી સ્ત્રીઓ માટે આ દિવસ ખાસ હોય છે. કારણ કે માન્યતા છે કે શિવરાત્રિ પર સાચા દિલથી કરવામા આવેલી પૂજા અને વ્રતથી પતિની વય લાંબી થાય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. આ વિશ્વાસને કારણે મહિલાઓ આ દિવસે કેટલાક ખાસ કામ કરે છે. જેથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા કાયમ તેમના પરિવાર પર બન્યો રહે.  
 

જાણી લો એ 7 કામ જે મહિલાઓએ શિવરાત્રી પર કરવા જોઈએ 

 
શિવરાત્રિ પર કરો વ્રત  પરિણીત મહિલાઓએ શિવરાત્રી પર ઉપવાસ કરવો જોઈએ. આ ઉપવાસ નિર્જલા કે ફળ ખાઈને પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપવાસ કરવાથી પતિનુ આયુષ્યને વધે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. ઉપવાસ દરમિયાન, તમારા મનને શાંત રાખો અને નકારાત્મક વિચારો ટાળો.
 

સવારે સ્નાન કરી સંકલ્પ લો 
 

શિવરાત્રીની સવારે  જલ્દી ઉઠીને સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો અને હાથમાં થોડુ જળ અને ફુલ લઈને તમારા પતિની લાંબી વય અને ઘરની ખુશીઓ માટે મનમાં જ સંકલ્પ લો. ભગવાન શિવ અને માતા પાર્વતીને યાદ કરો. 
 

શિવલિંગ પર જળ ચઢાવો 
 

શિવલિંગ પર જળ, દૂધ કે ગંગાજળ ચઢાવો. અભિષેક કરતી વખતે ૐ નમ શિવાય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમને સમજ વધે છે.  
 

માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ ચઢાવો 
 

આ દિવસે માતા પાર્વતીને સિદૂર, બંગડી કે લાલ કપડુ જરૂર ચઢાવો. એવુ માનવામં આવે છે કે આનાથી સુહાગ હંમેશા સુરક્ષિત રહે છે અને પતિનુ વય વધે છે.  
 

શિવ અને પાર્વતીની કથા સાંભળો
 

શિવરાત્રી પર, શિવ અને પાર્વતીની કથા સાંભળો અથવા વાંચો. આનાથી ધીમે ધીમે વૈવાહિક સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
 

રાત્રે જાગરણ કરો 
 

જો શક્ય હોય તો, શિવરાત્રીની રાત્રે જાગરણ કરો  અને સ્તોત્રો ગાવ  અથવા શિવમંત્રોનો જાપ કરો. એવું કહેવાય છે કે આમ કરવાથી  ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે. 
 

ગરીબોની મદદ કરો
 

વ્રત પૂર્ણ કર્યા પછી, ગરીબ કે જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અથવા તમારી ઇચ્છા મુજબનું દાન કરો. દાન કરવાથી આશીર્વાદ મળે છે અને ભગવાન શિવના આશીર્વાદ કાયમ રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?