Publish Date: Fri, 06 Feb 2026 (17:32 IST)
Updated Date: Fri, 06 Feb 2026 (18:03 IST)
મહાશિવરાત્રી એટલે દેવોના દેવ મહાદેવ અને શક્તિના મિલનનો ઉત્સવ. ફાગણ વદ તેરસના દિવસે ઉજવાતી આ રાત્રિ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે 2026માં મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહાશિવરાત્રીનું ધાર્મિક મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર, મહાશિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ ઉપરાંત, એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે શિવજીએ સૃષ્ટિને બચાવવા માટે 'કાલકૂટ' ઝેર પીધું હતું અને નીલકંઠ કહેવાયા હતા. શિવપુરાણ મુજબ, આ દિવસે શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું, તેથી આ દિવસે શિવ પૂજાનું અનેરું મહત્વ છે.
શું છે ચાર પ્રહરની પૂજા?
મહાશિવરાત્રીમાં રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર, જે ભક્ત ચાર પ્રહરની પૂજા કરે છે, તેના તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ચાર પ્રહર પૂજાનો સમય (અંદાજિત):
પ્રથમ પ્રહર (સાંજે): સાંજે 6:30 થી રાત્રે 9:30 સુધી. (દૂધથી અભિષેક)
બીજો પ્રહર (મધ્યરાત્રિ પૂર્વે): રાત્રે 9:30 થી મધ્યરાત્રિ 12:30 સુધી. (દહીંથી અભિષેક)
ત્રીજો પ્રહર (મધ્યરાત્રિ બાદ): રાત્રે 12:30 થી વહેલી સવારે 3:30 સુધી. (ઘીથી અભિષેક)
ચોથો પ્રહર (બ્રહ્મ મુહૂર્ત): સવારે 3:30 થી સવારે 6:30 સુધી. (મધથી અભિષેક)
શિવ પૂજામાં આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
જો તમે ઘરે પૂજા કરી રહ્યા હોવ, તો આ વસ્તુઓ અચૂક સામેલ કરો:
બિલ્વપત્ર: શિવજીને અત્યંત પ્રિય છે. હંમેશા ઊંધું પાન (લીસો ભાગ નીચે રહે તેમ) ચડાવવું.
અભિષેક: પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) થી અભિષેક કરવો.
શું ના ચડાવવું: શિવ પૂજામાં ક્યારેય કેતકીનું ફૂલ, હળદર અને તુલસીનો ઉપયોગ કરવો નહીં.
મંત્ર જાપ: પૂજા દરમિયાન સતત 'ૐ નમઃ શિવાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.