Publish Date: Sat, 15 Feb 2020 (10:00 IST)
Updated Date: Sat, 15 Feb 2020 (10:29 IST)
આમ તો ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. પણ મહાશિવરાત્રિનો દિવસ કંઈક ખાસ હોય છે. 4 માર્ચ સોમવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ છે. ભગવાન શિવનો અભિષેક કરવાથી તેમની કૃપા હંમેશા બની રહે છે અને મનોકામના પુર્ણ થાય છે. ધર્મસિન્ધૂના બીજા પરિચ્છેદના મુજબ જો કોઈ ખાસ ફળની ઈચ્છા હોય તો ભગવાનના વિશેષ શિવલિંગની પૂજા કરવી જોઈએ.
- લોટથી બનેલા શિવલિંગ પર અભિષેક કરવાથી રોગોથી મુક્તિ મળે છે.
- માખણથી બનેલ શિવલિંગ પર અભિષેક કરવાથી બધા સુખની પ્રાપ્તિ થાય છે.
- ગોળથી બનેલા શિવલિંગ પર અભિષેક કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે