Publish Date: Sat, 12 Nov 2022 (06:01 IST)Updated Date: Sat, 12 Nov 2022 (07:23 IST)
કળયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે ભક્તોની રક્ષા અને તેમના કલ્યાણ માટે હનુમાનજીને પૃથ્વી લોકમાં વાસ કરવા માટે કહ્યું હતું. ત્યારથી હનુમાનજી કળિયુગમાં ભકતોની મદદ કરે છે હનુમાનજી ને સંકટમોચન ના નામ થી પણ ઓળખાય છે . તેનું કારણ છે જે તે જીવનમાં થઈ રહેલી દરેક તકલીફો ને દૂર કરી નાખે છે. હનુમાનજી ની પૂજા મંગળવારે અને શનિવારે બંને દિવસ કરવામાં આવે છે.