Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે, મતગણતરીમાં આગળ

ગુજરાતની 4 વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે, મતગણતરીમાં આગળ
, ગુરુવાર, 23 મે 2019 (12:35 IST)
આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની 542 બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે, હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ ચાર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર છે.
ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
માણાવદર : ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસે આ બેઠક પર તેમની સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.
ઊંઝા :કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરમાં અમિત શાહ 2.30 લાખની સરસાઈ સાથે આગળ, જીત નિશ્ચિત