Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RCB vs CSK: શારજાહમાં આરસીબીના વિરુદ્ધ ધોની બેટથી મચાવશે ધમાલ, આંકડા આપી રહ્યા છે પુરાવા

RCB vs CSK: શારજાહમાં આરસીબીના વિરુદ્ધ ધોની બેટથી મચાવશે ધમાલ, આંકડા આપી રહ્યા છે પુરાવા
, શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (19:13 IST)
IPL 2021 ની 35 મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાનમાં ઉતરશે. CSK એ છેલ્લી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ધુલાઈ કરી હતી, તો બીજી બાજુ કોહલીની સેનાને KKR ના હાથે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું બેટ લાંબા સમયથી આઈપીએલમાં ચાલી રહ્યુ નથી. પરંતુ જ્યારે માહી શારજાહના મેદાન પર બેંગ્લોર સામે રમશે, તો તે ચોગ્ગા અને છગ્ગાનો મોટો વરસાદ વરસાવી શકે છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ તેમના આંકડા પુરાવો આપી રહ્યા છે. 
 
ધોનીએ અત્યાર સુધી IPL માં કોહલીની ટીમ સામે 28 ઇનિંગ્સમાં 41.25 ની સરેરાશથી 825 રન બનાવ્યા છે. આ  દરમિયાન માહીનો સ્ટ્રાઇક રેટ પણ 141.50 રહ્યો છે. એટલે કે CSK ના કેપ્ટનને બેંગ્લોરનું બોલિંગ આક્રમણ પસંદ છે. RCB સામે રમતા ધોનીએ ચાર અડધી સદી ફટકારી છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર 84 રન છે. એટલું જ નહીં, કેપ્ટન કૂલે 50 ચોગ્ગા અને 46 લાંબી છગ્ગા ફટકારીને આરસીબી બોલરોની રેલ બનાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સૌથી વધુ રન બનાવવાના મામલે ધોની ડેવિડ વોર્નર પછી બીજા ક્રમે છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આજે શારજાહની જમીન પર લાંબા સમય બાદ ધોનીનું જબરદસ્ત ફોર્મ જોવા મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા થયા જળબંબાકાર - જુઓ તસ્વીરોમાં સુરત