Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2018: આઈપીએલ વિજેતા ટીમને મળશે 20 કરોડ, જાણો પ્લેઓફની બધી ટીમોને મળશે કેટલુ પ્રાઈઝ મની

IPL 2018: આઈપીએલ વિજેતા ટીમને મળશે 20 કરોડ, જાણો પ્લેઓફની બધી ટીમોને મળશે કેટલુ પ્રાઈઝ મની
, શનિવાર, 26 મે 2018 (17:09 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નુ સત્ર 2018 સમાપ્તિ તરફ આગળ વધી રહ્યુ છે. કારણ કે લીગ મેચો પછી હવે ક્વાલીફાયર અને એલિમિનેટર મુકાબલા પણ રમાય ચુક્યા છે. હવે આ સીઝનની ફાઈનલ મેચ આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ અર્થાત પ્રથમ ક્વાલીફાયરમાં ટક્કર લેનારી ટીમો જ ફાઈનલમાં રમતી જોવા મળશે.  ત્યારબાદ આ ટીમોને કરોડોનુ ઈનામ આપવામાં આવશે. 
 
જેવુ કે પહેલા અનેક સીઝનથી આવુ જ પ્રારૂપ રહ્યુ છે કે સીઝનમાં 8 ટીમો રમે છે અને મેચોની સંખ્યા નક્કી થાય છે અને આ વખતે પણ 8 ટીમોએ ભાગ લીધો જેમા કુલ 56 મેચ આયોજીત કરવામાં આવી અને ગ્રુપ સ્ટેજ સુધી સૌથી ઉપર સનરાઈઝર્સ હૈદારાબાદની ટીમ રહી જ્યારે કે ચેન્નઈએ બીજુ સ્થાન મેળવ્યુ. પણ ફાઈનલમાં પહેલા ચેન્નઈની ટીમ પહોંચી. 
 
પહેલા આઈપીએલ 2015માં પુરસ્કાર રાશિ 40 કરોડ રૂપિયા હતી જેમા વિજેતા ટીમને 15 કરોડ રૂપિયા અને ઉપવિજેતા ટીમને 7.5 કરોડ આપવામાં આવે છે. પણ હવે ઘણુ બદલાય ગયુ છે. 
 
આઈપીએલ નિયમો મુજબ પુરસ્કાર રાશિ બધા ખેલાડીઓ વચ્ચે સમાન રૂપે વહેંચવામાં આવે છે અને તેનો અંતિમ લાભ બધા ખેલાડીઓને મળે છે. 
 
આઈપીએલ 2018 માટે પુરસ્કાર રાશિ 
 
- આ સીઝનમાં જે પણ ટીમ આ ખિતાબ જીતે છે તેમને હવે 20 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 
- જ્યારે કે ઉપવિજેતા અર્થાત બે નંબર પર રમનારી ટીમને હવે - 12.5 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 
- બીજી બાજુ જ્યા 2015માં ઉપવિજેતા ટીમને 7.5 મળતા હતા પણ હવે ત્રીજા નંબરની ટીમને - 8.75 કરોડ રૂપિયા આપવામાં આવશે. 
- અને ચોથા નંબરની ટીમને આ વખતે 8.75 કરોડ રૂપિયા આપવામાં આવશે. 
આ રીતે હવે ફાઈનલમાં બંને (ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ) કેમ પણ કરીને જીતવા માંગશે. આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સંપૂર્ણ બે આઈપીએલ પછી કમબેક કર્યુ છે અને આવતા જ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NDAના 4 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા શાહ - PM મોદીના આવવાથી બદલાયો દેશ