Publish Date: Mon, 07 Apr 2025 (16:24 IST)
Updated Date: Tue, 08 Apr 2025 (11:29 IST)
Hanuman Jayanti 2025- હનુમાન જયંતિ ક્યારે છે- સનાતન ધર્મમાં હનુમાન જયંતિ પર ઉપવાસ કરવાથી તમામ દુ:ખો અને ગ્રહ દોષોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત તમામ લોકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે,
ભગવાન હનુમાનને અપાર શક્તિ અને હિંમતના સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને શક્તિ, હિંમત અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. આટલું જ નહીં, હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે પરેશાનીઓને દૂર કરનાર. એવું માનવામાં આવે છે કે તેની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર થાય છે.
હવે આવી સ્થિતિમાં જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો હનુમાન જયંતિના દિવસે નાણાછડીની દીવેટનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં નાણાછડીની દીવેટ થી બનેલો દીવો પ્રગટાવવો ઈચ્છાઓની પૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમારી કોઈ ઈચ્છા હોય જેને તમે પૂરી કરવા ઈચ્છો છો તો હનુમાન જયંતિના દિવસે પ્રદોષ કાળ દરમિયાન એટલે કે સાંજે નાણાછડીની દીવેટ બનાવો અને દીવેટ બનાવતી વખતે તમારી ઈચ્છા બોલો અને જ્યારે દીવેટ સંપૂર્ણ બની જાય ત્યારે આ નાણાછડીની દીવેટ હનુમાનજીની સામે પ્રગટાવી તેમની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે નાણાછડીની દીવેટના દીવો પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે.
કાલવ દીવો પ્રગટાવતી વખતે આ નિયમોનું પાલન કરો
હનુમાનજીની સામે દીવો પ્રગટાવવા માટે નાણાછડીની દીવેટ એટલે કે લાલ રંગની દીવેટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
હનુમાનજીની પૂજા કરતી વખતે તમે સરસવના તેલ સિવાય ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો.
પૂર્વ તરફ મુખ કરીને દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
જો હનુમાનજીની મૂર્તિ દક્ષિણ દિશા તરફ હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવાની જ્યોત દક્ષિણ દિશામાં ન હોવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો, કારણ કે તે યમરાજની દિશા માનવામાં આવે છે અને તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે.