Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP ની વરિષ્ઠ નેતા જયવંતીબેન મહેતાનુ નિધન

BJP ની વરિષ્ઠ નેતા જયવંતીબેન મહેતાનુ નિધન
મુંબઈ. , સોમવાર, 7 નવેમ્બર 2016 (11:00 IST)
ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયવંતીબેન મેહતાનુ સોમવાએ સવારે 78 વર્ષની વયે પોતાના ઘરમાં નિધન થઈ ગયુ. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. જયવંતીબેન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી હતા. 
 
પાર્ટીના એક અધિકારીએ કહ્યુ કે મહેતાએ રવિવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમનો અંતિમ સંસ્કાર સોમવારે સાંજે શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવશે. 
 
લગભગ 6 વર્ષ પહેલા તેમણે પોતાની બહુભાષી આત્મકથા માર્ચિંગ વિધ ટાઈમનુ લેખન અને વિમોચન કર્યુ હતુ. જેમા તેમણે એક મધ્યમવર્ગીય ઘરની ગૃહિણીથી નગર નિગમની ધારાસભ્ય અને ત્યારબાદ સાંસદ અને પછી કેન્દ્રીય મંત્રી બનવાની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. 
 
બધા રાજનીતિક દળોના વરિષ્ઠ નેતાઓએ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપીમાં BJP આવશે તો ઉત્તર પ્રદેશ દેશનો સૌથી સમૃદ્ધ પ્રદેશ બનશે - અમિત શાહ