Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં જયલલિતાના નિધનથી તામિલોમાં આક્રંદ, સાંજે શોકસભા

અમદાવાદમાં જયલલિતાના નિધનથી તામિલોમાં આક્રંદ, સાંજે શોકસભા
, મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:54 IST)
તામિલનાડુની અમ્મા અને મુખ્યપ્રધાન જયલલિતાના નિધનને પગલે સમગ્ર વિશ્વમાં રહેતા તામિલો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં રહેતા તામિલ સમાજમાં પણ જયલલિતાના નિધનને પગલે ભારે શોક પ્રસર્યો હોવાનું જોવા મળ્ચું હતું. શહેરના પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા વિસ્તારમાં રહેતા તામિલ પરિવારોમાં અમ્માના નિધનના સમાચારથી આક્રંદના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલ રાતથી જ ખોખરા પાસે ઈડલી ચાર રસ્તા, મદ્રાસી મંદિર સહિતના વિસ્તારોમાં તામિલ પરિવારોએ એકઠા થઈને અમ્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમ્માના નિધનને પગલે અમદાવાદ તામિલ સંઘ દ્વારા મણીનગરમાં આવેલી શ્રીક્રિષ્ના તાલિમ સ્કૂલમાં 4 વાગ્યે શોકસભા અને પ્રાર્થનાનું આયોજન કરાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતનાં ૧૦ જીલ્લાઓની ટીમો વચ્ચે ખેલાશે ૨૦-૨૦ ક્રિકેટ જંગ