Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકરસિંહ વાઘેલાની કારને અકસ્માત, કાર ચાલક ભાગી છુટ્યો

શંકરસિંહ વાઘેલાની કારને અકસ્માત, કાર ચાલક ભાગી છુટ્યો
મહેસાણા, , રવિવાર, 26 જૂન 2016 (22:05 IST)
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની કારને ઉંઝા નજીક અકસ્માત નડતા ભારે સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરોમાં પણ આના કારણે ભાગદોડ મચી ગઈ હતી. જો કે, આમાં વાઘેલાને કોઇપણ પ્રકારની ઇજા થઇ ન હતી. વાઘેલાએ પણ આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી. જો કે, કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી હતી. મળેલી માહિતી મુજબ શંકરસિંહ સિદ્ધપુરથી ડીસા જઈ રહ્યા હતા. તે દરમ્યાન GJ 18 9391 નંબરની સ્કોર્પીયો કારે અચાનક ઓવરટેક કરીને બે વખત શંકરસિંહની કારને ટક્કર મારી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની સિક્યોરિટીના પીએસઓએ કાર ઊભી રાખીને તપાસ કરે એ પહેલા કાર ચાલક ભાગી છુટ્યો હતો. આ અકસ્માતને કોંગ્રેસે શંકરસિંહ પર હુમલાનો પ્રયાસ ગણાવીને તપાસની માંગણ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણ યુનિવર્સિટીમાં ડૉ. આદેશ પાલ વિરુધ્ધ પોસ્ટર, અડધી ઉંમરની વિદ્યાર્થીની સાથે સંબંધો