પાટણ યુનિવર્સિટીમાં ડૉ. આદેશ પાલ વિરુધ્ધ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીની સાથે સંબંધ હોવાના આક્ષેપ લગાવતા બેનરો લાગ્યા હતા. આ મામલે વિવાદ વધતા યુનિવર્સિટીમાંથી આ પોસ્ટરો હટાવાયા છે. કોલેજ પ્રશાસને આ અંગે તાત્કાલિક પગલા લેતા આ પોસ્ટરો હટાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ડૉ. આદેશ પાલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હતા. હાલ તે પાટણ યુનિવર્સીટીમાં ડાયસ્ફોરા વિભાગના ડીન તરીકે ફરજ બજાવે છે. વડોદરાની પારૂલ યુનિવર્સિટીની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવું પોસ્ટરોમાં લખવામાં આવ્યુ છે.