Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ

નોટબંધી કરી ત્યારથી વિપક્ષી નેતાઓ એક થઈ ગયા-અમિત શાહ
, રવિવાર, 20 નવેમ્બર 2016 (15:47 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નોટબંધી મામલે વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની આંખોમાં ઈટાલિયન ચશ્મા લાગ્યા છે આથી તેમને કશું જ સારું દેખાતુ નથી. આથી આવા વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. નોટબંધી પર વધુ પ્રહારો કરતા તેમણે કહ્યું કે જ્યારથી મોદીજીએ નોટબંધી કરી ત્યારથી સપા, બીએસપી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી બધા એક થઈ ગયા છે, આ બધા ડરી ગયા છે. અમિત શાહે ચંડીગઢ ખાતે સેક્ટર 27 સ્થિત રામલીલા મેદાનમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યુ હતું. શાહે કાર્યકર્તાને જીતનો મંત્ર આપતા કહ્યું કે ભાજપ એવી પાર્ટી છે જ્યાં ગરીબ પણ પીએમ પદ સુધી પહોંચી શકે છે, આથી દરેક કાર્યકર્તા મનથી મહેનત કરે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvsENG: ભારતીય ટીમના 9 વિકેટ , 370 થી વધારે રન