Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત
, સોમવાર, 12 માર્ચ 2018 (17:34 IST)
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 38 લોકોના માર્યા જવાના સમાચાર છે. 
 
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવક્તા નાથ ઠાકુર મુજબ જે સમયે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ એ સમય વિમાનમાં ચાલક દળ સહિત 71 લોકો સવાર હતા. 
webdunia
દુર્ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.  તેમાથી 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પ્રત્યક્ષદર્શી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી અનેક મૃતદેહ કાઢવામાં આવ્યા છે. 
webdunia
નેપાળ પોલીસના પ્રવક્તા મુજબ ઢાકાથી આવી રહેલ આ ફ્લાઈટ કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં બનેલ એક ફુટબોલ મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળતા સમાચાર મુજબ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જનારી બધી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યસભા ચૂંટણી - ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં