Publish Date: Tue, 14 May 2024 (17:33 IST)
Updated Date: Tue, 14 May 2024 (17:37 IST)
- ઈન્ડોનેશિયાના સુમાત્રામાં પૂરે તબાહી મચાવી છે
- મંગળવાર સુધીમાં કાટમાળમાંથી 50 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે
- 3300થી વધુ લોકોને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી છે
જકાર્તા ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં અચાનક આવેલા પૂરે તબાહી મચાવી દીધી. મંગળવારે બચાવ કર્મચારીઓએ નદી અને સુમસામ બનેલા કાટમાળમાં શોઘ ચાલુ રાખી. ચોમાસાનો વરસાદ અને જમીન ઢસડી જવાથી માઉંટ મેરાપીમાંથી નીકળેલા ઠંડા લાવાએ શનિવારે અડધી રાતના ઠીક પહેલા મંગળવારે બચાવ કર્મચારીઓએ નદીઓ અને ઉજડી ગયેલા ગામનો કાટમાળમાં લોકોની શોધ ચાલુ રાખી. ચોમાસાના ભારે વરસાદ અને જમીન ઢસડવાના અને માઉંટ મેરાપીમાંથી નીકળેલા ઠંડા લાવાએ શનિવારે અડધી રાતના ઠીક પહેલા પશ્ચિમી સુમાત્રા શહેરના ચાર જીલ્લામાં કહેર વરસાવ્યો. રાષ્ટ્રીય આપદા પ્રબંધન એજંસીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ કહ્યુ કે પૂરમાં અનેક લોકો અને 79 મકાન વહી ગયા અને અનેક ઘર અને ઈમારતો જળમગ્ન થઈ ગઈ.
હજારો લોકો શિબિરોમાં
વરસાદ અને પૂરને કારણે 3300થી વધુ નિવાસીઓને અસ્થાયી સરકારી સહાયતા કેન્દ્રમાં જવા માટે મજબૂર થવુ પડ્યુ. મુહારી કહ્યુ કે મંગળવાર સુધી કીચડ અને નદીઓમાંથી 50 શબ કાઢવામાં આવી ચુક્યા છે. બચાવ કર્મચારીઓ એ 27 લોકોની શોધ કરી રહ્યા છે જે લાપતા બતાવાય રહ્યા છે. બચાવકર્મચારી સાત લોકોના સમુહમાંથી એ ચાર લોકોને પણ શ્દોહી રહ્યા છે જે પોતાની કાર સાથે વહી ગયા હતા.