Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

georgia Indian Nationals
, સોમવાર, 16 ડિસેમ્બર 2024 (23:08 IST)
જ્યોર્જિયાથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુડોંરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 11 ભારતીય નાગરિકોના મોત થયા છે. ભૂતપૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રારંભિક અહેવાલો અનુસાર, 11 ભારતીય લોકોના મોત શકાયત ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે થયા છે. 
 
ભારતીય દૂતાવાસે જાહેર કર્યું નિવેદન 
જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં અગિયાર ભારતીય નાગરિકોના દુર્ભાગ્યપૂર્ણ મોત વિશે જાણતા  દુખ પ્રગટ કર્યું.   દૂતાવાસે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, "દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી કરીને મૃતદેહોને જલદી પરત મોકલી શકાય." જ્યોર્જિયામાં ભારતીય દૂતાવાસે 16 ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે શોકગ્રસ્ત પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ. અને દરેક શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ."

 
શારીરિક ઈજાના કોઈ નિશાન નથી
જ્યોર્જિયાના ગુડોંરીના હિલ રિસોર્ટમાં કુલ 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી 11 ભારતીય હતા. માહિતી અનુસાર, જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા એક નિવેદન રજુ કરવામાં આવ્યું છે કે પીડિતોમાંથી કોઈ પર હિંસા કે શારીરિક ઈજાના કોઈ નિશાન નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.
 
બાકીના વિસ્તારમાંથી મૃતદેહો મળી આવ્યા
મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટના બીજા માળે રેસ્ટ એરિયામાં ભારતીય નાગરિકોના મૃતદેહ મળી આવ્યા હતા. બધા ત્યાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે  ગુડૌરી જ્યોર્જિયામાં ગ્રેટર કાકેશસ પર્વતમાળા પર સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. આ મામલે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાય રે અંધવિશ્વાસ - 'બાપ' બનવા માટે ગળી રહ્યો હતો જીવતો મરઘો, થઈ ગયુ મોત, ગળામાં ફંસાયેલો મરઘો જોઈને ડોક્ટર પણ હેરાન