Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Japan Earthquake: જાપાનમાં ભૂકંપના તેજ આંચકા, રિક્ટર સ્કેલ પર 7.3 તીવ્રતા, સુનામીની ચેતાવણી વચ્ચે 20 લાખ ઘરોની વીજળી ગુલ

Japan Earthquake: જાપાનમાં ભૂકંપના તેજ આંચકા, રિક્ટર સ્કેલ પર 7.3 તીવ્રતા, સુનામીની ચેતાવણી વચ્ચે 20 લાખ ઘરોની વીજળી ગુલ
, બુધવાર, 16 માર્ચ 2022 (22:40 IST)
જાપાન(Japan)માં ભૂકંપ (Earthquake)ના જોરદાર ઝટકા અનુભવ્યા છે. રિક્ટર સ્ક્લ પર 7.3 તીવ્રતા માપવામાં આવી. આટલી ઝડપી તીવ્રતાવાળા ભૂકંપ પછી પૂર્વોત્તર તટના કેટલા ભાગ માટે સુનામી (tsunami)ની સલાહ આપવામાં આવી. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીના હવાલાથી એએફપીએ જણાવ્યુ કે જાપાનમાં ભૂકંપ પછી લગભગ 20 લાખ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. 
 
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમા ક્ષેત્રના દરિયાકાંઠાથી 60 કિમીની ઊંડાઈ પર હતું અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 11.36 વાગ્યા પછી તરત જ સુનામીના કેટલાક ભાગોમાં એક મીટરના મોજાં આવવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપના કારણે પરમાણુ આપત્તિ પણ સર્જાઈ હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
 
આ પહેલા 22 જાન્યુઆરીએ જાપાનના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી વિસ્તારોમાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. શનિવારે બપોરે 1.08 કલાકે ભૂકંપ આવ્યો હતો. રશિયન વેબસાઇટ સ્પુટનિકે સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, (Japan Meteorological Agency)ક્યૂશુ ટાપુની નજીક 1 વાગ્યા પછી તરત જ ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 40 કિલોમીટર (24.8 માઇલ) ની ઊંડાઈ પર સ્થિત હતું. સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સી અનુસાર, મિયાઝાકી, ઓઇટા, કોચી અને કુમામોટો પ્રાંતોએ ભૂકંપને પાંચ-પોઇન્ટ રેટિંગ આપ્યું હતું. 
 
ભૂકંપના સંકટને માપવા માટે 7 પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે
 
તમને જણાવી દઈએ કે જાપાનમાં ભૂકંપના જોખમને માપવા માટે 7 પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.આપને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
 
જાપાન રીંગ ઓફ ફાયર પર સ્થિત છે
 
જાપાનમાં ભૂકંપ થવો એ કોઈ ચોંકાવનારી વાત નથી, પરંતુ અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. કારણ કે આ દેશ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર(Right of Fire) પર સ્થિત છે. આ તીવ્ર ધરતીકંપની પ્રવૃત્તિની આર્ક છે, જે દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિન સુધી વિસ્તરે છે. અહીં 6 કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપ આવવાનું સામાન્ય બાબત છે. 2011 માં, જાપાનના ફુકુશિમામાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સ્થિત ન્યુક્લિયર પ્લાન્ટને ઘણું નુકસાન થયું હતું. 11 માર્ચ, 2011ના ભૂકંપ બાદ સમુદ્રમાં આવેલા વિનાશક સુનામીના મોજાથી ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ પણ ફટકો પડ્યો હતો. આ ભૂકંપને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HIjab Controvercy- હિજાબ વિવાદ: કાલે અહીં બંધનું એલાન