Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weight Loss Tips, વજન ઘટાડવા માટે ટિપ્સ, વજન ઘટાડવાના ઉપાયો

honey and garlic
, ગુરુવાર, 11 ઑગસ્ટ 2022 (00:06 IST)
- લસણ અને મધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ માનવામાં આવે છે.
- તેના સેવનથી પાચન શક્તિ સારી રહે છે. 
 
Weight Loss Tips: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના વધતા વજનને લઈને પરેશાન છે. આ લોકો વજન ઓછુ કરવા માટે ન જાણે કેટલા ઉપાયો અજમાવે છે  કેટલાક લોકો સવારે ખાલી પેટ હૂંફાળા પાણીનું સેવન કરે છે, તો કેટલાક ખોરાકમાં જ ઘટાડો કરે છે. જો કે, તેમ છતાં, તેમને વધુ સફળતા મળતી નથી. જો તમે પણ આમાં સામેલ છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે કેટલાક સ્વાસ્થ્યવર્ધક અને અસરકારક ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છીએ જેને અપનાવીને સરળતાથી ઓછી કરી શકાય છે. જી હા મિત્રો આ અસરકારક ઉપાય મધ અને કાચા લસણનો છે. આયુર્વેદમાં બંનેનું મિશ્રણ વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે લસણ અને મધ તમને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
 
લસણ અને મધ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેના સેવનથી પાચન શક્તિ જળવાઈ રહે છે અને જો તમારું પેટ સારું હશે તો વજન પણ ઝડપથી ઘટશે. આ બંને વજન ઘટાડવાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે. તેમાં રહેલા તત્વો વજન ઘટાડવામાં મદદરૂપ છે. લસણ અને મધના સેવનથી ન માત્ર વજન ઘટે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
 
વજન ઘટાડવા માટે, આ રીતે કરો  લસણ અને મધનો ઉપયોગ 
 
- સૌપ્રથમ લસણની થોડી કળીઓ લો અને તેના છાલટા કાઢી લો.
- ત્યાર બાદ મધ લો.
- હવે એક બરણીમાં લસણ નાખો.
- પછી તેના પર મધ રેડવું.
- જ્યારે મધ અને લસણ બરાબર મિક્સ થઈ જાય, ત્યારે બરણીને ચુસ્તપણે બંધ રાખો.
-  ત્યારબાદ નિયમિતપણે રોજ સવારે ખાલી પેટ  એક લસણ લો.
- તેનાથી વજનમાં ઘટાડો થઈ શકે છે.
-  પરંતુ ધ્યાનમાં રાખો કે એક દિવસમાં એકથી વધુ લસણ ન ખાશો. 
 
નોંધ - આ આર્ટિકલ સામાન્ય માહિતી માટે છે. કોઈ પણ ઉપાયને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયાબિટિશ ઉપરાંત અનેક રોગોમાં રામબાણ ઔષધિ જાંબુ