Publish Date: Wed, 08 Nov 2023 (23:22 IST)
Updated Date: Thu, 09 Nov 2023 (09:28 IST)
સર્પગંધાનો છોડ પ્રાચીન કાળથી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેને અંગ્રેજીમાં ઈન્ડિયન સ્નેકરૂટ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia Serpentina છે. આ છોડ માત્ર દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. ભારતમાં તેના મૂળનો ઉપયોગ દવા તરીકે થાય છે.
વેબએમડીના અહેવાલ મુજબ, સર્પગંધાનાં મૂળનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. રાઉવોલ્ફિયા છોડના મૂળમાં રેઝરપાઈન નામનો આલ્કલોઈડ ઉત્પન્ન થાય છે, જે હાઈ બ્લડ પ્રેશરની સારવાર તરીકે કામ કરે છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં તેનો ઉપયોગ હાઈપરટેન્શનથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે.
સર્પગંધાના મૂળનો ઉપયોગ તાવ, મેલેરિયા, કબજિયાત, અનિદ્રા અને મૂડ ડિસઓર્ડર સહિત અનેક રોગોની સારવારમાં થાય છે. એવું માનવામાં આવે છે કે સર્પગંધા આપણી નર્વસ સિસ્ટમને શાંત કરીને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. તેમાં રહેલા ઘણા રસાયણો મૂડ ડિસઓર્ડરથી રાહત અપાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તે પેટની સમસ્યા અને તાવમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
સર્પગંધાનો ઉપયોગ ત્વચાની વિવિધ સમસ્યાઓ જેમ કે ફોલ્લીઓ અને ખીલની સારવાર માટે કરી શકાય છે. તે પરંપરાગત રીતે ખંજવાળની સારવાર માટે વપરાય છે. આ ઉપરાંત સર્પગંધાનો છોડ સાપના ડંખની સારવારમાં પણ વપરાય છે. ઘણા લોકો અસ્થમાની સારવારમાં પણ સર્પગંધા અર્કનો ઉપયોગ કરે છે.
સર્પગંધા ઘણા રોગોથી રાહત અપાવવા માટે અસરકારક માનવામાં આવે છે, પરંતુ આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કોઈપણ રોગ માટે આ છોડનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. નિષ્ણાતની સલાહ વિના તેનું સેવન નુકસાનકારક છે, કારણ કે તેમાં ઘણા ખતરનાક રસાયણો પણ હોય છે. તેથી સાવચેત રહો.
Edited By - Kalyani Deshmukh