Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ

આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (17:12 IST)
મોટાભાગના લોકોને શરીરનો દુ:ખાવો રહે છે. જેવો કે માથાનો દુ:ખાવો અને કમરનો દુખાવો. અનેક પ્રકારની દવાઓનુ સેવન કર્યા પછી પણ દુ:ખાવાથી રાહત મળતી નથી.  જો તમને પણ શરીરનો દુ:ખાવો છે તો આજે અમે તમને બતાવીશુ એવો ઉપાય જેનાથી તમારા શરીરનો દુ:ખાવો દૂર થઈ જશે.  આ ઉપાય દરેક પ્રકારના શરીરના દુ:ખાવા માટે લાભકારી છે. તો આવો જાણીએ કયો છે એ ઉપાય. 
 
સામગ્રી - લસણ, 30 ગ્રામ સરસવનુ તેલ, અડધી ચમચી અજમો. 
 
વિધિ - સૌ પહેલા લસણની 4 કળીયોને છોલીને સરસવના તેલમાં નાખો. ત્યારબાદ તેમા અડધી ચમચી અજમાના દાણા નાખીને ધીમા તાપ પર પકવો.  લસણ અને અજમો કાળા પડી જાય ત્યારે તેલ ઉતારીને થોડુ ઠંડુ કરીને ગાળી લો. આ તેલને દુખાવાના સ્થાન પર માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી દરેક પ્રકારનો દુ:ખાવો દૂર થઈ જાય છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેસીપી - ડુંગળીનુ અથાણું