Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબોઈ ખસી જતા પર ગભરાવો નહી, કારણ અને લક્ષણ જાણો આ રીત કરો ઉપચાર!

અંબોઈ ખસી જતા પર ગભરાવો નહી, કારણ અને લક્ષણ જાણો આ રીત કરો ઉપચાર!
, સોમવાર, 4 ડિસેમ્બર 2017 (15:59 IST)
આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી છે. ઘણી વાઅર નાભિ તેમની જગ્યાથી ખિસકી જાય છે, જેને અંબોઈ ખસી જવી કે પિચોટી કે નાભિ ખસી ગઈ પણ કહે છે. તેનાથી પેટમાં દુખાવો, ગૈસ, ભૂખ ન લાગવી, પગમાં કંપન, ગભરાહટ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
અંબોઈ ખસવાના કારણ 
1. ખોટી લાઈફસ્ટાઈલ, ભૂખ ન લાગવી, એક્સરસાઈજ ન કરવી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે અંબોઈ ની સમસ્યા થઈ શકે છે. 
2. કોઈ ભારે કામ કરતા સમયે કે રમતના કારણે પણ અંબોઈ ખસી શકે છે. 
3. અચાનક એક પગ પર ભાર પડતા, સીઢી ઉતરતા સમય કે જમણા-ડાબા નમવાથી પણ અંબોઈ ખસી શકે છે. 
4. એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે. 
 
webdunia
લક્ષણ 
1.અંબોઈ ખસતા પર અત્યંત દુખાવો અને જાડાની સમસ્યા થઈ જાય છે. 
2. રોગીને પીઠના બળે સૂવડાવે તેમની નાભિને દબાવો. જો નાભિના નીચે ધડકન અનુભવ ન હોય તો એ તેમની જગ્યા પર નહી છે. 
3. અંબોઈ ખસી હતા રોગીને અપચ અને કબ્જની સમસ્યા થઈ જાય છે. 
 
webdunia
ઘરેલૂ ઉપચાર
1. વરિયાળી 
10 ગ્રામ વરિયાળીને વાટીને તેમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરી સવારે ખાલી પેટ ખાવું. 2-3 દિવસ તેનો સેવન કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે. 
 
2. સરસવનો તેલ 
3-4 દિવસ સવારે સતત ખાલી પેટ સરસવના તેલના ટીંપા નાભિમાં નાખો. તેનાથી નાભિ ધીમે-ધીમે જગ્યા પર આવવી શરૂ થઈ જશે. 
 
3. આમળો 
સૂકા આમળાને વાટીને તેમાં લીંબૂના રસ મિક્સ કરી નાભિના ચારે બાજુ બાંધી રોગીને 2 કલાક જમીન પર સૂવડાવો. દિવસમાં 2 વાર આવું કરવાથી નાભિ તેમની જગ્યા પર આવી જશે. 
 
4. આસન 
અંબોઈને તેમની જગ્યા પર લાવવા માટે તમે પેટના આસન પણ કરી શકો છો. તેનાથી અંબોઈ જલ્દી ઠીક થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કપડા ઉતારીને સૂવાના 5 ફાયદા