Publish Date: Sat, 09 Dec 2017 (10:20 IST)
Updated Date: Tue, 28 Nov 2017 (14:35 IST)
ગુસ્સો માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય પણ પરેશાન થઈ જાય છે. તમને પણ આ જ રીતે કોઈ પરેશાની છે કે પાર્ટનરનો ગુસ્સો વધી રહ્યો છે તો ટિપ્સ અજમાવો...
1. ગુસ્સો આવતા કોઈની સાથે વાત કરવાને બદલે થોડીવાર એકલા બેસી જાઓ. માંસપેશીઓને રિલેક્સ કરો. તેનાથી ગુસ્સો શાંત થઈ જશે.
2. કોઈ વાતથી પરેશાન છો તો ગુસ્સો કરવાને બદલે ઊંડો શ્વાસ લો અને આંખ બંધ કરીને ખુદને શાંત કરવાની કોશિશ કરો.
3. ગુસ્સાને દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય છે વાતાવરણને ખુશનુમા બનાવો. સરસ પરફ્યૂમની સુગંધ લો. તમે હેરાન થઈ જશો કે તેનાથી ગુસ્સો ખુશીમાં બદલાય જશે.
4. ઠંડું પાણી પીવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે ઊંધી ગણતરી શરૂ કરો.