Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

blackseeds
, શુક્રવાર, 16 મે 2025 (00:53 IST)
blackseeds
Black Seed for Belly Fat: ક્યારે ક્યારેક લાગે છે જેવી કે પેટે ફુગ્ગાનુ સ્થાન લઈ લીધુ છે. ખાધુ થોડુ અને પેટ ફુલ્યુ એવુ કે જાણે તેમા કોઈએ હવા ભરી નાખી છે.  ઓફિસમાં બેસ્યા બેસ્યા ટીવી જોતા બસ ચા કે નાસ્તો લેતી વખતે ભારેપણુ અને સોજો ફક્ત અસહજ નથી હોતી પણ આત્મવિશ્વાસ પણ ઓછો કરી દે છે.  જો આ ફુલેલા પેટથી છુટકારો ફક્ત એક નાનકડા કાળા બીજથી મળી જાય તો ?  ના કોઈ ભારેપણુ ન તો એક્સરસાઈઝ ન તો મોંઘા સપ્લીમેંટ કશુ નહી  કરવુ પડે.  આજે અમે વાત કરી રહ્યા છે એક એવા બીજની જે જોવામાં તો નાનુ છે પણ પેટની ચરબી અને સોજાને કાબૂમાં કરવામા કમાલનુ છે.   
 
મળતી માહિતી મુજબ આ બીજ પાચનતંત્રને યોગ્ય રાખવા ઉપરાંત મેટાબોલિજ્મને પણ એવુ બૂસ્ટ આપે છે કે પેટ ધીરે ધીરે સપાટ થવા માંડે છે અને સૌથી સારી વાત એ છે કે તેનુ સેવન કરવુ ખૂબ સરળ છે.   
 
કાળા બીજ કેવી રીતે પેટની ચરબી ઓછી કરવાનુ કરે છે કામ  
 
 
 કાળા તલમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે.
 
તેમાં રહેલા હેલ્ધી ફેટ મેટાબોલિજ્મને ઝડપી બનાવે છે, જેના કારણે શરીર ઉર્જા વધુ બાળે છે અને ચરબી ઘટાડે છે.
 
જો તમારું પેટ વારંવાર ફૂલે છે, ગેસ બને છે અથવા તમને ભારેપણું લાગે છે, તો કાળા તલ રાહત આપે છે.
 
આ બીજ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
 
કાળા બીજનું સેવન કેવી રીતે કરવું? 
 
સવારે ખાલી પેટે 1 ચમચી શેકેલા કાળા તલ ચાવીને ખાઓ. 
 
1  ચમચી તલ રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પી લો.
 
એક ચમચી તલના બીજને અડધી ચમચી મધ સાથે ભેળવીને ખાવાથી પણ પેટ માટે ફાયદો થાય છે.
 
કાળા તલ સ્વભાવે ગરમ હોય છે, તેથી જો શરીર ગરમી પ્રત્યે સંવેદનશીલ હોય, તો પહેલા થોડી માત્રામાં લો અને શરીરની પ્રતિક્રિયા જુઓ. સગર્ભા સ્ત્રીઓ અથવા ખાસ દવાઓ લેતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ તે લેવું જોઈએ. શરીરના પરિવર્તનના નામે મોંઘા પૂરક અને આહાર લેવાને બદલે, કાળા તલનું સેવન કરી શકાય છે. જે તમારા ફૂલેલા પેટને ફરીથી સ્લિમ બનાવવામાં મદદ કરશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો