Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા
, સોમવાર, 9 જુલાઈ 2018 (12:57 IST)
આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ગણાય છે. ઘણા રીતે શારીરિક વિકાર માટે મધને ખૂબ ઉપયોગી  ગણાય છે , ચાલો જાણીએ મધના કેટલાક રોચક ગુણ અને એનાથી સંકળાયેલા કેટલાક પારંપરિક ઉપાય વિશે. 
1. આદિવાસી બાળકોને સવારે રોટલી સાથે મધા આપીએ છે , એમનું માનવું છે કે મધ યાદશક્તિને સારી બનાવા માટે ઉત્તમ છે. મધને છાશ સાથે લેવાથી પણ યાદશક્તિ સારી થાય છે. 
 
2. મધ શુદ્ધ હોય તો દરરોજ એક એક ટીપાં બન્ને આંખોમાં નાખવાથી આંખોની સફાઈ થઈ જાય છે. માન્યતા છે કે નેત્ર જ્યોતિ માટે મધ એક સારું ઉપાય છે. 
 
3. બાળકો જ્યારે દાંત આવે છે તો મસૂડા પર સોજા આવી જાય છે અને એમને દુખાવો ઘણુ હોય છે.એવી હાલાતમાં મસૂડા પર મધ લગાવવાથી આરામ મળે છે.
 

4. મધને પાણીમાં મિક્સ કરી શૌચ જવાથી પહેલા દરરોજ સવારે 3-4 મહીના સુધી લેવાથી વજન ઓછું થવા લાગે છે . ઘણા ક્ષેત્રોમાં જાણકાર માને છે કે બે ચમચી મધ અને અડધા કાપેલા નીંબૂના રસને હૂંફાણા પાણીમાં મિક્સ કરી દરરોજ સવારે લેવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. 
webdunia
5. મધ જો દૂધ સાથે મિક્સ કરી લેવાય તો આ દિલ , મગજ અને પેટ માટે ફાયદાકારી હોય છે. ઉનાળામાં હમેશા નીંબૂ પાણી સાથે મિક્સ કરી પીવાથી શરીરને ઉર્જા અને ઠંડક મળે છે. આદિવાસીઓના માનવું છે કે જો મધનું સેવન દરરોજ કરાય તો આ શરીરને ચુસ્ત દુરૂસ્ત રાખવામાં ઘણો મદદ કરે છે . સાથે  તાકાત બનાવી રાખી થાક દૂર કરે છે. 
 

6. પાતાલકોટમાં આદિવસી કાપેલા અંગ , ઘા અને શરીરના બળી જવા પર મધને લગાવે છે. આમ તો મધના એંટીબેક્ટીરિયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે. 
webdunia
7. આદિવાસી  મધ સાથે ચૂનો મિકસ કરી માથા પર લગાડે છે જેનાથી માથાન દુખાવોમાં આરામ મળે છે. માનવું છે કે મધ મગજને ઠંડું રાખે છે અને માથાના દુખાવાને ઓછું કરવામાં કારગર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય