Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાલનપુર- સામખ્યાલી વિભાગમાં ડબલીંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

train
, બુધવાર, 28 ડિસેમ્બર 2022 (11:03 IST)
અમદાવાદ મંડળના પાલનપુર- સામાખ્યાલી સેક્શનના પીપરાલા, લખપત અને આડેસર સ્ટેશનનોની  વચ્ચે ડબલિંગ કાર્ય ને  કારણે અમદાવાદ મંડળની  કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
 
રદ્દ કરાયેલી ટ્રેનો
 
• 27 ડિસેમ્બર 2022 થી 05 જાન્યુઆરી 2023 સુધી ટ્રેન નંબર 20927/20928 ભુજ-પાલનપુર-ભુજ એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.  
 
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
 
1.    02 જાન્યુઆરી 2023 ની ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગને બદલે સામાખ્યાલી-પાલનપુર-અમદાવાદ ને બદલે પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાલી -ધાંગધ્રા-વિરમગામ-અમદાવાદ થઈને દોડશે
 
2.    31 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ-પાલનપુર- સામાખ્યાલી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ-વિરમગામ-ધાંગધ્રા- સામાખ્યાલી થઈને દોડશે
 
3.    30 ડિસેમ્બર 2022 ની ટ્રેન નંબર 12966 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સામાખ્યાલી -પાલનપુર-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા સામાખ્યાલી -ધાંગધ્રા-વિરમગામ-અમદાવાદ થઈને દોડશે
 
4.    29 ડિસેમ્બર 2022 અને 5 જાન્યુઆરી 2023 ના રોજ ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ – પાલનપુર – સામાખ્યાલીને બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ – વિરમગામ – ધાંગધ્રા – સામાખ્યાલી થઈને દોડશે
 
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સંચાલન  સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં રસીકરણની કામગીરી વધુ વેગવાન બનાવાશે: રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ