Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે મુકેશ અંબાણીને મળશે ઈશા અંબાણીના જોડિયા બાળકો, 300 કિલો સોનું દાન કરશે અંબાણી પરિવાર

આજે મુકેશ અંબાણીને મળશે ઈશા અંબાણીના જોડિયા બાળકો, 300 કિલો સોનું દાન કરશે અંબાણી પરિવાર
, શનિવાર, 24 ડિસેમ્બર 2022 (17:03 IST)
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. મુકેશ અંબાણી લાંબી રાહ જોયા બાદ આજે તેમના નાતી-નાતીનને મળવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે ઈશા અંબાણી આજે પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે. ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
 
તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022માં ઈશા અંબાણીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં સીડર સેનાઈમાં કૃષ્ણ અને આદિયા નામના બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા પહેલીવાર ભારત આવી રહી છે. આવી સ્થિતિમાં અંબાણી પરિવાર ઘણો ઉત્સાહિત છે. આજે તેમના સ્વાગત માટે ભવ્ય પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વિવિધ મંદિરોમાંથી અનેક પંડિતોને બોલાવવામાં આવ્યા છે.
 
300 કિલો સોનાનું દાન
અહેવાલો અનુસાર, અંબાણી પરિવાર પણ બાળકોના નામે 300 કિલો સોનું દાન કરવા જઈ રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમનું ફૂડ મેનુ પણ ખૂબ જ ખાસ છે. આ ફૂડ બનાવવા માટે મોટા કેટરર્સને બોલાવવામાં આવ્યા છે. આ સાથે ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોનો વિશેષ પ્રસાદ અંબાણી પરિવાર દ્વારા તેમના ઘરના ભવ્ય સમારોહમાં પીરસવામાં આવશે. ઈશાને લેવા માટે મુંબઈના ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસી જતાં ફસાયો, RPF જવાને જીવ બચાવ્યો