Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની કરશે છટણી

એમેઝોન 18 હજારથી વધુ કર્મચારીઓની કરશે છટણી
, ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (15:33 IST)
અમેરિકાની ટેક ઈન્ડસ્ટ્રીમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
 
ટ્વિટર અને ફેસબુક બાદ હવે એમેઝોને પણ તેના હજારો કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે.
 
એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એન્ડી જેસીએ પોતાના કર્મચારીઓને લખેલી નોટમાં આ જાણકારી આપી છે.
 
તેમણે લખ્યું છે કે, અસરગ્રસ્ત કર્મચારીઓને 18 જાન્યુઆરીથી માહિતી મળવાનું શરૂ થઈ જશે.
 
આ કર્મચારીઓની સંખ્યા 18,000થી વધુ હોવાનું કહેવાય છે, જે કંપનીના કુલ ત્રણ લાખ લોકોના સ્ટાફના છ ટકા છે.
 
એમેઝોને આ પહેલા નવેમ્બરમાં માહિતી આપી હતી કે, તે ખર્ચ ઘટાડવા માટે તેના કેટલાક કર્મચારીઓની છટણી કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે - ઉત્તરાખંડ : હલ્દ્વાનીમાં રેલવેની જમીન પરથી 'દબાણ હઠાવો અભિયાન' પર સુપ્રીમની રોક