Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aadhaar-PAN Link: 31 જુલાઈથી પહેલા કરાવી લો પેન આધાર લિંક નહી તો નહી ફાઈક જરી શકશો આઈટીઆર

Aadhaar-PAN Link: 31 જુલાઈથી પહેલા કરાવી લો પેન આધાર લિંક નહી તો નહી ફાઈક જરી શકશો આઈટીઆર
, બુધવાર, 10 જુલાઈ 2024 (15:08 IST)
Aadhaar-PAN Link: ભારતના કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે જો આધાર અને PAN લિંક નહીં હોય, તો તમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આધાર એ માત્ર નાગરિકોની ઓળખ જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ છે.
 
તેમજ પેન કોઈ પણ વ્યક્તિને સ્થાઈ ખાતા નંબર છે તેની વિત સ્થિતિઓની સાથે તેની લેવડદેવડને દર્શાવે છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024 નાખ્યો છે. તેથી, લોકોએ 31 જુલાઈ પહેલા તેમના PAN અને આધારને લિંક કરવું જરૂરી છે. આવકવેરા વિભાગે થોડા મહિના પહેલા એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો 31 જુલાઈ 2024ની નિર્ધારિત તારીખ સુધી PANને આધાર સાથે લિંક કરવામાં આવશે તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો PANને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો લાગુ દર કરતા બમણા દરે TDS કાપવામાં આવશે.
 
PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું:
ઓનલાઈન: ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકો છો.
SMS: તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567678 પર SMS મોકલીને તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકો છો. SMS ફોર્મેટ નીચે મુજબ હશે: UIDPAN <આધાર નંબર> <PAN નંબર>
ઈન્કમ ટેક્સ ઓફિસઃ તમે કોઈપણ ઈન્કમ ટેક્સ ઓફિસમાં જઈને તમારું PAN આધાર સાથે લિંક કરાવી શકો છો.
 
જો તમે તમારું રિટર્ન મોડું ફાઇલ કરશો તો તમારે આ નુકસાન સહન કરવું પડશે. 
મોડેથી રિટર્ન ફાઈલ કરવા પર દંડ ભરવો પડી શકે છે. સમય પર રિટર્ન ફાઈલ ન કરતા પર તમારે 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે. દંડની રકમ તમારા આગમન અને વિલંબના સમય પર આધારિત છે. આ સાથે, તમારે ટેક્સ ચૂકવવામાં વિલંબ પર વ્યાજ પણ ચૂકવવું પડશે. જે લોકોએ 31મી જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું છે પરંતુ સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ કર્યું નથી તેમના માટે છેલ્લી સમયમર્યાદા 31મી ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. 

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસ્લિમ મહિલા પણ છુટાછેડા પછી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય