Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- PM ફરી આવશે ગુજરાત, નવસારીમાં રાહુલ-મોદી એ જ દિવસે સંબોધશે સભા

modi
, ગુરુવાર, 17 નવેમ્બર 2022 (16:44 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રથી સુરત સુધી મોદી સાત કાર્યક્રમોમાં હાજરી આપશે.
 
19નવેમ્બરે વડા પ્રધાન મોદી વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે.
 
એ બાદ 20નવેમ્બરે મોદી સોમનાથ મંદિરની મુલાકાત લેશે છે.આ મુલાકાત બાદ તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણીસભાને સંબોધશે.
 
અહીં એ વાત પણ નોંધનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ચારેય બેઠકોમાંથી ભાજપ એક પણ બેઠક નહોતો જીતી શક્યો.સામાન્ય રીતે આ વિસ્તારો કૉંગ્રેસના પરંપરાગત મતવિસ્તારો માનવામાં આવે છે.
 
પોતાની મુલાકાતના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં પીએમ મોદી ચૂંટણીસભા સંબોધશે.ભરૂચ ભૂતકાળમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનો મતવિસ્તાર રહ્યો છે.
 
રસપ્રદ વાત એ છે કે 21 નવેમ્બરે રાહુલ ગાંધી પણ નવસારીની મુલાકાત લે એવા અહેવાલો છે.આ જ દિવસે મોદી પણ નવસારીમાં હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 36 ઉમેદવારોને મેન્ડેટ આપ્યાઃ પૂર્વ IPS ડી જી વણજારા