Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર - જસદણમાં હાર્દિકનો રોડ શો

25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર - જસદણમાં હાર્દિકનો રોડ શો
, સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:22 IST)
આજે હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો અને આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે તડકો નથી આવતો એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો.  સરકાર આવશે તો કપાસના 1500 આપીશ તેવું ભાજપે કહ્યું હતું પણ એક મણના કે બે મણના. આપણે ખેડૂતો અઢી વર્ષે બળદ બદલતા હોઇએ છીએ પરંતુ 25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર છે.   હાર્દિકે વધુમાં જણાવ્યું  હતું કે,  પાણી વગરના રૂપાણીએ 0 ટકાએ લોન આપી તેવી ખેડૂતોને વાત કરી તો તમને મળી ખરી. ખેડૂતોને આદત પડી ગઇ છે ગુલામી કરવાની. માર્કેટ યાર્ડમાં ભાજપના આગેવાનોની ખરીદી પહેલા કરવામાં આવે છે.  
webdunia

જો ખેડૂતો અવાજ કરશે તો જ સરકાર સાંભળશે. ભાજપ બહેરી થઇ ગઇ છે. ચૂંટણી   અત્યારના ખેડૂતનો દીકરો ખેડૂત બનવાનું વિચારતો નથી. ભાજપની સરકારે આપણા 24 છોકરાઓને મારી નાંખ્યા. આપણને ગોરાઓથી આઝાદી મળી છે.  કોઇપણ હોસ્પિટલનું ઉદઘાટન કરાવો તો ભાજપના નેતાઓને શું કામ બોલાવો છો. 19મી ડિસેમ્બરે અખબારોમાં એવું આવવું જોઇએ કે, ગુજરાતમાં અહંકારની હાર થઇ તેવી અપેક્ષા રાખું છું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Love- શું ચૌથી નજરમાં હોય છે પ્રેમ ?