Publish Date: Tue, 21 May 2024 (16:25 IST)
Updated Date: Tue, 21 May 2024 (16:25 IST)
ઓડિશાના પુરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો પછી મીડિયા થી વાતચીતના દરમિયાન સંબિત પાત્રાએ કહી દીધુ હતુ કે પ્રાચીન શહેરના પ્રતિષ્ઠિત દેવતા ભગવાન જન્નાથ પીએમ મોદીના ભક્ત છે.
જો કે સંબિત પાત્રાએ મંગળવારે મોડી રાત્રે પોતાની ભૂલ માટે માફી માંગી છે. માફી માગતા તેમણે કહ્યું કે 'જાગ્રત વ્યક્તિ ક્યારેય એવું ન કહી શકે કે ભગવાનનો ભક્ત મનુષ્ય છે.'
તમને જણાવી દઈએ કે તેઓ પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પણ છે. તેમનું નિવેદન એવા દિવસે આવ્યું છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
webdunia
Publish Date: Tue, 21 May 2024 (16:25 IST)
Updated Date: Tue, 21 May 2024 (16:25 IST)