Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાભ પાંચમનુ મહત્વ.. પૂજા તિથિ અને મૂહુર્ત

લાભ પાંચમનુ મહત્વ.. પૂજા તિથિ અને મૂહુર્ત
, બુધવાર, 30 ઑક્ટોબર 2019 (14:24 IST)
છે. 
લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે.  જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.  આ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.  ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. 
 
લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહુર્ત 
 
લાભ પાંચમ - 01  નવેમ્બર 2019 શુકવાર 
પંચમી તિથિ શરૂ -  1 નવેમ્બર 2019 વહેલી સવારે 01.01 વાગ્યાથી  
પંચમી તિથિ સમાપ્ત - 02 નવેમ્બર 2019  સમય  વહેલી સવાર 12.51 સુધી 
લાંભ પંચમી પૂજા મુહૂર્ત - સવારે 06.33થી 10.14 મિનિટ સુધી (3 કલાક 41 મિનિટ) 
 
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.  ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.  દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.  આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે.  તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.  વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. 
 
- જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. 
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતા