rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઈલ ફોનની જીદમાં મહિલાએ ઉઠાવ્યુ ખતરનાક પગલુ, મા સહિત બે બાળકોના મોત

Bihar Chutani Result 2025
, બુધવાર, 12 નવેમ્બર 2025 (15:43 IST)
Bhojpur News- બક્સર જીલ્લાના નવા ભોજપુર પોલીસ મથક ક્ષેત્રમા એક ચોંકાવનારી અને દુખદ ઘટના સામે આવી છે.  જ્યા એક મહિલાએ ફક્ત એક મોબાઈલ ફોન ન મળવાની જીદમાં  પોતાના ત્રણ બાળકો સાથે કીટનાશકનુ સેવન કરી લીધુ. આ દર્દનાક ઘટનામાં માતા અને બે બાળકોના મોત થઈ ગયા જ્યારે કે સૌથી નાનો 12 મહિનાનો બાળક ગંભીર સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યુ છે.  
 
ઘટનાની માહિતી મળતાં, શહેર પોલીસ સ્ટેશનના અધિકારી મનોજ કુમાર સિંહ અને તેમની ટીમ સદર હોસ્પિટલ દોડી ગયા હતા અને મામલાની તપાસ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. આ હૃદયદ્રાવક ઘટનાએ નયા ભોજપુર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ગ્રામજનો કહે છે કે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે મોબાઇલ ફોન જેવી નજીવી બાબતને કારણે આમ અચાનક ત્રણ લોકોના જીવ જતા રહેશે. 
 
મહિલા અને બે બાળકોના મોત 
સદર હોસ્પિટલમાં સવિતા દેવી, તેમની પાંચ વર્ષની પુત્રી જ્યોતિ અને ત્રણ વર્ષના પુત્ર આકાશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના 12 મહિનાના પુત્ર વિકાસની હાલત ગંભીર હતી અને ડોક્ટરોએ તેને વધુ સારી સારવાર માટે પીએમસીએચ, પટના રીફર કર્યો હતો.
 
કેટલાક દિવસોથી મોબાઇલ ફોનની માંગી રહી હતી 
પતિ સુનિલ કુમારે જણાવ્યું કે સવિતા થોડા દિવસોથી મોબાઇલ ફોનની માંગણી કરી રહી હતી. જ્યારે તેણે ફોન આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે આ આત્યંતિક પગલું ભર્યું. તેણે કહ્યું કે તેના ત્રણ લગ્ન થયા હતા, જેમાંથી બે પત્નીનું  મોતથઈ ચૂક્યું હતું. સવિતા તેની ત્રીજી પત્ની હતી, જ્યારે તેની પહેલી પત્નીથી પુત્રી જ્યોતિનું પણ આ જ ઘટનામાં મોત થયું હતું.
 
બધાએ જંતુનાશક દવા પીધી હતી.
સદર હોસ્પિટલના ડૉક્ટર ડૉ. સરસ્વતી ચંદ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બધાએ જંતુનાશક દવા પીધી હતી. તેમણે કહ્યું કે 12 મહિનાના બાળકની હાલત ગંભીર છે અને તેને વધુ સારી સારવાર માટે PMCH રિફર કરવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar Election Result 2025 - 3 કારણ જેણે બગાડ્યો એક્ઝિટ પોલમાં મહાગઠબંધનનો ખેલ, પોલ બનાવનારે પોતે કર્યો ખુલાસો.. સમજો કેવી રીતે