Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WC પછી પણ કોહલીની કપ્તાની કાયમ રાખવા પર ભડક્યા ગાવસ્કર, માંજરેકરે કર્યો વિરોધ

WC પછી પણ કોહલીની કપ્તાની કાયમ રાખવા પર ભડક્યા ગાવસ્કર, માંજરેકરે કર્યો વિરોધ
, મંગળવાર, 30 જુલાઈ 2019 (14:39 IST)
ભારતના પૂર્વ બેટ્સમેન  સુનીલ ગાવસ્કરે વિશ્વકપ સેમીફાઈનલમાં ભારતની હાર છતા વિરાટ કોહલીને કપ્તાન તરીકે કાયમ રાખવા પર નારાજગી બતાવી છે. તેમનુ માનવુ છેકે વિરાટ કોહલીને ફરીથી કપ્તાન બનાવી રાખતા પહેલા બોર્ડએ એક સત્તાવાર બેઠક કરવી જોઈતી હતી. 
webdunia

 
એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન ગાવસ્કરે કહ્યુ, જ્યા સુ ધી મને જાણ છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ સુધી જ કપ્તાન હતા.  ત્યારબાદ તેમના ભવિષ્ય પર નિર્ણય થવાનો હતો. તેમને એક કપ્તાનના રૂપમાં કાયમ રાખવા માટે પસંદગીકરોએ એક બેઠ્ક બોલાવવી જોઈતી હતી. ભલે એ બેઠક 5 મિનિટની જ કેમ ન હોય અને તેમા જ વિરાટનો નિર્ણય થઈ જતો. 
webdunia
માંજરેકરે આ નિવેદન પર વિરોધ કરતા ટ્વીટ કર્યુ કે હુ ગાવસ્કર સરના વિચારો સાથે આદરપૂર્વક અસહમ છુ.  ઈંડિયાનુ વર્લ્ડકપ પ્રદર્શન ખરાબ નહોતુ. તેમણે 7 મેચ જીત્યા અને બે હાર્યા. અંતિમ મેચ ખૂબ નિકટસ્થ રહી હતી અને એક પસંદગીકારના રૂપમાં પદ કરતા વધુ ગુણ ઈમાનદારી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આખેર વિરાટ શા માટે બોલ્યો - કોઈએ મને આરામ કરવા માટે નથી કીધું