Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Asia Cup 2023 ને લઈને શાહિદ આફ્રિદીએ આપ્યું નિવેદન, ભારતીય ક્રિકેટ બોર્ડને આપી આ સલાહ

shahid afridi
, મંગળવાર, 21 માર્ચ 2023 (08:36 IST)
Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતીય ટીમના પાકિસ્તાનના પ્રવાસ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. BCCI સેક્રેટરી જય શાહે ઓક્ટોબરમાં જ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. જે બાદ તત્કાલીન PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)ના ચીફ રમીઝ રાજાએ વર્લ્ડ કપ 2023 માટે ભારત આવવાની ના પાડવાની ધમકી આપી હતી.  આ પછી નજમ સેઠીએ પીસીબીનો હવાલો સંભાળ્યો અને વિવાદ અહીં પણ અટક્યો નહીં. ફેબ્રુઆરીમાં બહેરીનમાં એક બેઠક પણ યોજાઈ હતી ત્યાં પણ આ મામલાનો ઉકેલ ન આવ્યો.  હવે શાહિદ આફ્રિદીએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
 
શાહિદ આફ્રિદીએ આ અંગે નિવેદન જારી કરીને કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પણ પાકિસ્તાન આવી હોત તો સારું થાત. ભારત અને પાકિસ્તાનના અગાઉના પ્રવાસોને યાદ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અગાઉ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ જ્યારે ટીમ ઈન્ડિયા પણ પાકિસ્તાન આવી ત્યારે તેમનું પણ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું હતું. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન આવે છે તો આ પગલું બંને દેશો માટે સારું રહેશે. જો તમે ભારતમાં પણ ટુર્નામેન્ટનું આયોજન કરશો તો અમે પણ ત્યાં આવીશું. આ ઉપરાંત તેમણે બંને દેશોના મેનેજમેન્ટએ સાથે બેસીને નિર્ણય લેવાનો અભિપ્રાય મુક્યો. 
 
કાશ્મીર વિશે પણ બોલ્યા આફ્રિદી 
શાહિદ આફ્રિદી હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે. આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. હાલમાં તેઓ કતારની રાજધાની દોહામાં છે. થોડા દિવસો પહેલા નજમ સેઠીએ પણ તેમને વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કર્યા હતા. તેમણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અચાનક ટીમની ટીમમાં ફેરફાર કર્યો હતો. તે ઘણી વખત પોતાના નિવેદનને લઈને પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને કાશ્મીર અને ભારતના મુદ્દાઓ પર તેમના નિવેદનો વાયરલ થતા રહે છે. તેમણે કાશ્મીર વિશે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે, જ્યાં લોકો નબળા હોય છે, હું હંમેશા તેમને માટે અવાજ ઉઠાવું છું. માનવતાથી ઉપર કોઈ ધર્મ નથી અને મેં કાશ્મીરના લોકો માટે વાત કરી છે.
 
એશિયા કપ 2023ની વાત કરીએ તો આ વખતે ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાવવાની છે. છેલ્લી વખત T20 ફોર્મેટમાં ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ હતી. શ્રીલંકાની ટીમ ત્યાં ચેમ્પિયન બની હતી. આ વખતે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન તેને શિફ્ટ ન કરવા  પર અડગ છે. સાથે જ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની  નાં પાડી દીધી છે. જય શાહે સરકાર ઉપર આ વાત છોડીને પાકિસ્તાન જવાની ના પાડી. મામલો આના પર જ અટકી ગયો છે. હાલમાં જ બહેરીનમાં આ અંગે એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે બીજી બેઠક પણ ટૂંક સમયમાં યોજાવાની છે જેમાં એશિયા કપ 2023ના સ્થળ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WPL 2023: દિલ્હી કેપિટલ્સે વધાર્યું મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન, યુપીની ડબલ ધમાલ, RCB ટુર્નામેન્ટમાંથી બહાર