Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video- રોહિત શર્માએ પણ લીધો મોટો નિર્ણય, T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

virat dravid rohit
, રવિવાર, 30 જૂન 2024 (10:10 IST)
ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ઈતિહાસ રચ્યો હતો અને T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને બીજી વખત ટ્રોફી જીતી હતી.
 
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા પણ ICC ટ્રોફી જીતવાના લાંબા સમયથી ચાલી રહેલા દુકાળને ખતમ કરવામાં સફળ રહી. આ ખિતાબ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના વિશે તેણે કહ્યું કે આ નિર્ણય લેવા માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં.
મેં આ ફોર્મેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 

 
T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નિર્ણય વિશે બધાને જાણકારી આપી હતી જેમાં તેણે કહ્યું હતું કે T20 ઈન્ટરનેશનલમાં આ મારી છેલ્લી મેચ હતી. જ્યારથી મેં આ ફોર્મેટ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી મેં દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. મેં પણ આ ફોર્મેટમાં ભારતીય ટીમ સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયનો સમય આનાથી વધુ સારો ન હતો. મારે કપ જીતવો હતો.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીત બાદ વડાપ્રધાન મોદીએ આપી અભિનંદન, કહ્યું- 140 કરોડ દેશવાસીઓને ટીમ ઈન્ડિયા પર ગર્વ છે