Publish Date: Wed, 05 Jan 2022 (10:35 IST)
Updated Date: Wed, 05 Jan 2022 (10:38 IST)
રણજી ટ્રોફીની વર્તમાન સિઝન કોરોનાની ભેટ ચઢી ગઈ છે. દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ આ કાર્યવાહી કરી છે તેમણે રણજી ટ્રોફી સહિત ઘણી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રણજીની છેલ્લી સિઝન પણ કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે સતત બીજા વર્ષે આ સૌથી મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પર કોરોનાની અસર જોવા મળી છે.
હવે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થશે નહીં. તે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટ જેમ કે કર્નલ સીકે નાયડુ ટ્રોફી અને સિનિયર વિમેન્સ ટી20 લીગ પણ મુલતવી રાખવામાં આવી છે. માત્ર અંડર-19 કૂચ બિહાર ટુર્નામેન્ટ ચાલુ રહેશે. તેની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ ટૂંક સમયમાં રમાશે.