Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કોઈની સાથે આવું વર્તન થયુ નથી' - અશ્વિનને બહાર બેસાડતા ગાવસ્કરને આવ્યો ગુસ્સો, રાહુલ-રોહિત-વિરાટ બધાને લપેટી લીધા

'કોઈની સાથે આવું વર્તન થયુ નથી' -  અશ્વિનને બહાર બેસાડતા ગાવસ્કરને આવ્યો ગુસ્સો, રાહુલ-રોહિત-વિરાટ બધાને લપેટી લીધા
, મંગળવાર, 13 જૂન 2023 (10:15 IST)
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વાતને 2 દિવસ વીતી ગયા. પરંતુ, ન તો ચાહકો અને ન તો ભારતીય દિગ્ગજ ખેલાડીઓ આ હારને ભૂલી શક્યા. આ હારને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. એવા ઘણા પ્રશ્નો છે જે ચર્ચાનો વિષય બની રહ્યા છે. ઉદાહરણ તરીકે, શું ભારતે પહેલા બેટિંગ કરવી જોઈએ? શું રોહિત-રાહુલ પિચ અને પરિસ્થિતિઓને સમજવામાં નિષ્ફળ ગયા? આ સિવાય એક બીજો સવાલ છે, જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે શું ભારતે WTC ફાઇનલમાં રવિચંદ્રન અશ્વિનને ન રમાડીને મોટી ભૂલ કરી? સુનીલ ગાવસ્કરથી લઈને રવિ શાસ્ત્રી જેવા ઘણા દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાની આ રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે
 
સુનીલ ગાવસ્કરે ફરી એકવાર અંગ્રેજી અખબાર મિડ-ડેમાં લખેલી પોતાની કોલમમાં અશ્વિનને બહાર રાખવાના નિર્ણય પર વર્તમાન કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ સિવાય ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ઘેર્યા છે.
 
અશ્વિનને ન રમાડવો સમજની બહાર  -  ગાવસ્કર
ગાવસ્કરે લખ્યું, “ભારતે ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર આર અશ્વિનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્લેઈંગ-ઈલેવનમાંથી બહાર કરી દીધો. 
ઓસ્ટ્રેલિયન ટીમમાં 5 ડાબા હાથના બેટ્સમેન હતા અને જ્યારે એક ડાબોડી-ટ્રેવિસ હેડ-એ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે બીજા ડાબા હાથના એલેક્સ કેરીએ પ્રથમ દાવમાં 48 અને બીજા દાવમાં અણનમ 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેરેએ અન્ય ડાબા હાથના બેટ્સમેન મિચેલ સ્ટાર્ક સાથે 93 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી, જ્યારે ભારત બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને વહેલી આઉટ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
 
'અશ્વિન જેવો વ્યવહાર કોઈની સાથે નહી'
તેણે આગળ લખ્યું, “જો અશ્વિન ટીમમાં હોત તો કોણ જાણે શું થઈ શક્યું હોત. તે બેટથી પણ યોગદાન આપી શકતો હતો. આધુનિક યુગમાં અન્ય કોઈ ટોચના વર્ગના ભારતીય ક્રિકેટર સાથે અશ્વિન જેવું વર્તન કરવામાં આવ્યું નથી. તમે મને કહો કે શું ICC રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન ટીમમાં હતો અને તેને ગ્રીન ટોપ વિકેટ અથવા સ્પિનરની સહાયિત વિકેટ પર રન ન બનાવવાને કારણે જ બહાર કરવામાં આવ્યો હતો? હું ખાતરીપૂર્વક કહી શકું છું, એવું થતું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Biparjoy Live Updates : દ્વારકાના દરિયાકાંઠાથી 200 કિમી દૂર, કયા જિલ્લામાં કેટલી ઝડપે પવન ફૂંકાશે?