Publish Date: Sun, 06 Feb 2022 (17:05 IST)
Updated Date: Sun, 06 Feb 2022 (17:07 IST)
સુરેશ રૈનાના પિતા ત્રિલોક ચંદ રૈનાનું રવિવારે અવસાન થયું. લાંબા સમયથી કેન્સરથી પીડિત ત્રિલોક ચંદ રૈનાની તબિયત ડિસેમ્બરથી વધુ ખરાબ થઈ ગઈ હતી. સુરેશ રૈના ગાઝિયાબાદમાં રહેતા તેમના પિતાની સેવામાં વ્યસ્ત હતા.
રવિવારે ગાઝિયાબાદના રાજનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ક્રિકેટ જગત ખૂબ જ શોકમાં છે.