Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાશે, ટીમ ઈન્ડીયા માટે ઉઠાવ્યું આ પગલુ

india vs pakistan
, ગુરુવાર, 23 માર્ચ 2023 (23:57 IST)
એશિયા કપ 2023ના આયોજન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને  આ મુદ્દો હજુ પણ અટવાયેલો છે. પાકિસ્તાન પાસે  ટુર્નામેન્ટની યજમાની કરવાનો અધિકાર છે પરંતુ ભારતીય બોર્ડના સચિવ જય શાહે અગાઉ કહ્યું હતું કે ભારતીય ટીમ 50 ઓવરના ફોર્મેટમાં યોજાનારી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ટુર્નામેન્ટનું સફળ રીતે આયોજન કરવા માટે મીટીંગો યોજાઈ હતી.
 
ક્યાર રમાશે ટીમ ઈન્ડિયાની મેચો  
 
હવે ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, પાકિસ્તાન ટૂર્નામેન્ટની યજમાની કરી શકે છે અને ભારતની મેચો અન્ય વિદેશી સ્થળો પર યોજવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI અને PCB હવે એક રિઝોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છે અને બંને ટીમો પાકિસ્તાનની બહાર એકબીજાનો સામનો કરી શકે છે. એટલે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પાકિસ્તાનની બહાર રમાશે.
 
જ્યારે ભારતીય ટીમની મેચો માટે કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી, ત્યારે રમતો સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અથવા શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે. આ સ્થળો પર પાંચ મેચ યોજાઈ શકે છે, જેમાં બે ભારત વિ પાકિસ્તાન મેચનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ માટે તૈયારીનો સારો વિકલ્પ બની શકે છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને ટીમ ક્વોલિફાયર દ્વારા જોડાશે. ટૂર્નામેન્ટનું આયોજન 2022 એશિયા કપ ફોર્મેટ પ્રમાણે કરવામાં આવશે. બે ગ્રુપમાં ત્રણ ટીમો હશે અને દરેકમાંથી બે સુપર ફોરમાં પ્રવેશ કરશે. સુપર ફોર બાદ ટોચની બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
 
PCB  સૂત્રોએ પણ કરી હતી આ મોટી વાત 
 
તાજેતરમાં પીસીબીના સૂત્રોએ માહિતી આપી હતી કે ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે અને ભારતની મેચ યુએઈમાં શિફ્ટ થઈ શકે છે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો હતો પરંતુ જય શાહ એ  જેઓ એસીસીના પ્રમુખ પણ છે, ઓક્ટોબર 2022માં જાહેરાત કરી હતી કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  4 ફેબ્રુઆરીએ બહેરીનમાં બીસીસીઆઈના સચિવ જય શાહ અને પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી વચ્ચેની પ્રથમ ઔપચારિક બેઠકમાં એશિયા કપ 2023ના સ્થળ અંગે ચર્ચા થઈ હતી પરંતુ અંતિમ નિર્ણય પર રોક મૂકવામાં આવી હતી. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકલ ફોર વોકલ: સાબરકાંઠાના ત્રણ મિત્રોએ ભેગા મળી ‘દુધારા’ નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી