Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વાઇરસ : ગુજરાતમાં 367 નવા કેસો, કર્ણાટકે ગુજરાત સાથે છેડો ફાડ્યો

કોરોના વાઇરસ : ગુજરાતમાં 367 નવા કેસો, કર્ણાટકે ગુજરાત સાથે છેડો ફાડ્યો
, શુક્રવાર, 29 મે 2020 (08:27 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 367 કેસો સાથે આંકડો 15,572 થઈ ગયો છે અને કર્ણાટકની સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે.
 
કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી આવનાર વિમાનો, બસો, ટ્રેનો અને અન્ય વાહનો પ્રતિબંધિત જાહેર કર્યા છે.
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં કોરોના સંક્રમણના કેસો સૌથી વધારે છે.
 
કર્ણાટકમાં અત્યાર સુધી કોરોનાના 2418 કેસો સામે આવ્યા છે અને 47 લોકોનાં મૃત્યુ થયા છે.
 
ગુજરાતમાં કેસોની સ્થિતિ
 
ગુજરાતમાં 28 મેની સાંજની સરકારની અખબારી યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 367 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 22 દરદીઓના મૃત્યુ પણ થયા છે.
 
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 454 દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
 
ગુજરાતમાં કોરોના કુલ સંક્રમિતોની સંખ્યા 15,572એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં હાલ સુધીમાં 8001 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 960 લોકો મૃત્યુ પામ્યા છે.
 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદમા (247), સુરત (44), વડોદરા (33), મહીસાગર (૦8), કચ્છ (૦7), રાજકોટ (07) નવા કેસ નોંધાયેલ છે.
 
અમદાવાદમાં 16 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે વડોદરામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

COVID-19: દેશના 13 સૌથી ચેપગ્રસ્ત શહેરોમાં યુપી, બિહારનો એક નથી