Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખતરનાક સાબિત થઈ રહી છે કોરોનાની બીજી લહેર, દેશમં પહેલીવાર એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ, જાણો ક્યા શુ શુ રહેશે બંધ

ખતરનાક સાબિત થઈ રહી છે કોરોનાની બીજી લહેર, દેશમં પહેલીવાર એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ, જાણો ક્યા શુ શુ રહેશે બંધ
, ગુરુવાર, 8 એપ્રિલ 2021 (07:53 IST)
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ખૂબ ભયાનક દેખાય રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં કોરોના વાયરસના મામલાએ બધા રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા અને સૌથી વધુ 1.25 લાખનો આંકડો પાર કરી લીધો. મહામારીની શરૂઆતથી જ અત્યાર સુધી આવુ પહેલીવાર છે, જ્યારે એક દિવસમાં 1 લાખ 26 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના સૌથી વધુ મામલા નોંધવામાં આવ્યા છે. મંગળવારે જ્યા એક લાખ 15 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા ત્યા બુધવારે આ આંકડો લગભગ 1 લાખ 26 હજારથી વધુ થઈ ગયો. કોરોનાના વધતા આ કહેરને જોતા હવે ઘણી બધી વસ્તુઓ ફરીથી બંધ કરવામાં આવી રહી છે. ક્યાક લોકડાઉન તો ક્યાક નાઈટ કરફ્યુનુ એલાન થઈ ગયુ છે. 
 
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મંગળવારે 9 મી એપ્રિલથી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પંજાબ સરકારે 30 એપ્રિલ સુધી રાજ્યવ્યાપી નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો હતો. બેંગલુરુએ પણ શહેરમાં સ્વિમિંગ પુલ અને જીમ સેન્ટરો પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત આજથી યુપીની રાજધાની લખનૌ, કાનપુર સહિતના અનેક શહેરોમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
 
દેશમાં કોરોનાની બીજી લહેર કોરોના પ્રથમ લહેરની ટોચને વટાવી ગઈ છે, જ્યાં સપ્ટેમ્બર 2020 માં લગભગ 93 હજાર કેસ આવતા હતા, હાલમાં દેશમાં સરેરાશ 100761 નવા દૈનિક કેસ આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે કોરોનાની બીજી લહેર તેના પીક સાથે આગળ વધી રહી છે. દેશમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા પણ 9 લાખને પાર કરી ગઈ છે. મંગળવારે આ આંકડો 8 લાખને પાર કરી ગયો. આ રીતે, દરરોજ કોરોના એક નવો રેકોર્ડ બનાવી રહી છે.
 
મુંબઇ, ચંદીગઢ પછી  મંગળવારે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. 30 એપ્રિલ સુધી દિલ્હીમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાં ભારતના કુલ કોરોના અડધા કિસ્સાઓ આ રાજ્યમાં ફાળો આપે છે. આ જ કારણ છે કે વહીવટીતંત્રે મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં વીકએન્ડ લોકડાઉનમાં નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. આ સિવાય રાજસ્થાન અને ગુજરાતમાં પણ નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
 
મહારાષ્ટ્ર પછી છત્તીસગઢ ભારતનો બીજો સૌથી મોટો હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં કોરોના વાયરસના સતત કેસ આવી રહ્યા છે. આ જ કારણ છે કે રાયપુર જિલ્લામાં 11 દિવસનો સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યો છે. મંગળવાર સુધીમાં રાયપુરમાં 76 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 1000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 6 દિવસમાં રાયપુરમાં દસ હજારથી વધુ કેસ નોંધાયા છે અને 93 લોકોનાં મોત નીપજ્યાં છે.
 
ભારતમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી હતી કે આગામી ચાર અઠવાડિયા અત્યંત મહત્વપૂર્ણ છે અને લોકોએ રોગચાળાની બીજી લહેર સામે લડવામાં સહકાર આપવો જોઈએ. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ કહ્યું કે લાગે છે કે લોકોએ માસ્ક લગાવવા જેવી સાવચેતીને તિલાંજલી આપી દીધી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પર અડગ બે સગી બહેનો !