Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બની ખતરો: રેક્રોર્ડબ્રેક 2815 નોંધાયા, 13ના મોત, 14,298 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બની ખતરો: રેક્રોર્ડબ્રેક 2815 નોંધાયા, 13ના મોત, 14,298 એક્ટિવ કેસ
, શનિવાર, 3 એપ્રિલ 2021 (21:44 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
રાજ્યમાં 2815 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2063 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,713 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 94.03 ટકાએ પહોંચ્યો હતો. 
 
અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,64,347 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 69,94,796 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 3,71,055 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 32,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 14,298 એક્ટિવ દર્દી છે, જે પૈકી 161 લોકો વેન્ટિલેટર પર છે અને 14,137 લોકો સ્ટેબલ છે. 2,96,713 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4552 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 13 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન અસરકારક ઈલાજ: ડો. અતુલ પટેલ