Publish Date: Sun, 12 Sep 2021 (13:14 IST)
Updated Date: Sun, 12 Sep 2021 (13:15 IST)
બીજી લહેરમાં ભારે વિનાશ સર્જ્યા બાદ પણ કોરોના રોકાવવાનો નામ નામ નથી લઈ રહ્યો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ભારતમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા રજૂ કરાયેલા છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 28,591 નવા કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે 338 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 34,848 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. અગાઉ, શનિવારે 33,376 નવા કેસ નોંધાયા હતા, શુક્રવારે 34973.