Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટનાનો તપાસ અહેવાલ સોંપ્યો, જાણો કેવી રીતે લાગી આગ

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટનાનો તપાસ અહેવાલ સોંપ્યો, જાણો કેવી રીતે લાગી આગ
, મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (10:03 IST)
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તા.૬ઠ્ઠી ઓગસ્ટના મધરાતે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી વિજ રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા કમનસીબ આઠ વ્યક્તિઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કરતા મૃતકોના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાયની પણ જાહેરાત કરી હતી અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરી હતી.
 
મુખ્યમંત્રીએ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની આ સમગ્ર ઘટનાક્રમની તપાસ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની નિયુક્તિ કરી હતી. આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓને તેમની તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. 
 
આ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ દ્વારા અમદાવાદ મહાપાલિકા, FSL, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્રતયા કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા.આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને મુકેશ પુરીએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે.
 
આ અહેવાલ જણાવાયું છે કે પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે જે અંદાજે ત્રણ મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ છે.
 
મુખ્યમંત્રીએ આઠ લોકોના દર્દનાક મૃત્યુની આ આખીયે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તેમને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓએ સોંપેલા તપાસ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશો પણ  આજ રોજ રાજ્ય સરકારે આપ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona in Mathura- ઇસ્કોન મંદિર નિવાસી સંકુલમાં વિદેશી ભક્તો સહિત 14 સંક્રમિત, હોબાળો