Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના થતા ચાલુ ડોક્ટરને પુછીને દવા પીધી, પરિવારના 8 લોકોના મોત, 5ની હાલત ગંભીર

કોરોના થતા ચાલુ ડોક્ટરને પુછીને દવા પીધી, પરિવારના 8 લોકોના મોત, 5ની હાલત ગંભીર
, ગુરુવાર, 6 મે 2021 (16:28 IST)
છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે તો 5 ની હાલત ગંભીર છે. એવુ કહેવાય રહ્યુ છે કે કોરોનાના લક્ષણ દેખતા પરિવારે કોઈ ચાલુ ડોક્ટરની સલાહ પર હોમિયોપેથિક દવા પી હતી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે અને બીજા શક્યત: એંગલથી પણ તપાસ કરી રહી છે. 
 
ઘટના બિલાસપુરના સિરગિટ્ટી પોલીસ મથક ક્ષેત્રની છે. અહી કોરમી ગામના પરિવારના બધા લોકોએ એલ્કોહોલ યુક્ત હોમિયોપૈથિક દવા પી લીધી. તેમણે હોમિયોપૈથિક દવા ડ્રોસેરા 30 પી હતી, પણ થોડીવાર પછી જ સૌની તબિયત બગડવા માંડી અને એક પછી એક 8 લોકોના મોત થઈ ગયા. 
 
મૃતકોમાંથી 4 લોકોના અંતિમ સંસ્કાર રાત્રે જ કરવામાં આવ્યા હતા. તેથી મામલો શંકાસ્પદ પણ થઈ ગયો છે. 5 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.  બિલાસપુર સીએમઓએ જણાવ્યુ કે હોમિયોપૈથિક દવા પીવાથી પરિવારના 8 લોકોના મોત થયા તો 5 હોસ્પિટલમાં દાખલ છે તેમને આગળ કહ્યુ કે આ લોકોએ હોમિયોપેથિક દવા ડ્રોસેરા 30  (Drosera 30) પી લીધી હતી, જેમા 91 ટકા આલ્કોહોલ હોય છે. ડોક્ટર ફરાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેઈન સર્કિટના ઉપયોગ દ્વારા કોરોનાના ૫૦થી વધુ દર્દીઓની મહામૂલી જિંદગી બચાવાઈ