Publish Date: Wed, 01 Nov 2017 (10:32 IST)
Updated Date: Wed, 01 Nov 2017 (11:20 IST)
ઘી સ્વાસ્થય માટે યોગ્ય છે. આથી બાળકોને ઘી ખવડાવવું જોઈએ અને જરૂરી હોય છે.
ઘી ખાવાનું યોગ્ય સમય ખબર હોવી જોઈએ. આ વાતને બધા લોકો જાણે છે કે બાળકના જન્મ પછી એને છ: મહીના સુધી માતાનો દૂધ આપવું જોઈએ પણ એ પછી દૂધ છોડાવતા સમયે બાળજને ઘી આપવું ફાયદાકારી હોય છે.
ઘીના સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે, જે શરૂઆતના સમયે બાળકના વિકાસ અને વૃદ્ધિ માટે સહાયક છે. જ્યારે બાળક એક વર્ષનું હોય છે તો એનું વજન એમના જન્મના સમયના વજનથી ત્રણ ગણું વધી જાય છે.
બાળકની શરૂઆત અવસ્થામાં વૃદ્ધિ ની દર બહુ વધારે હોય છે અને બાળકના શરીરને વધારે કેલોરીજની આવશ્યકતા હોય છે. 1 ગ્રામ ઘીમાં 9 કેલોરીજ હોય છે. એનાથી બાળકના ભોજનમાં ઘી બાખવાથી એમના આહારમાં કેલોરીની માત્રા વધી જાય છે અને બાળક એક્ટિવ રહે છે.
ઘી એવું આહાર છે જે બાળકને સરળતાથી પચી જાય છે અને બાળકના મગજનું વિકાસ કરે છે. ઘી ખાવાથી બાળકને શારીરિક ઉર્જા મળતા એમનું મગજ પણ તેજ થાય છે. આ રીતે બાળકનું મગજ ઘી ખાવાથી તેજસ્વી બને છે.