Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

KGF એક્ટર યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં થઈ મોટી દુર્ઘટના, ત્રણ યુવકોના થયા મોત

KGF એક્ટર યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં થઈ મોટી દુર્ઘટના, ત્રણ યુવકોના થયા મોત
, સોમવાર, 8 જાન્યુઆરી 2024 (14:37 IST)
- કન્નડ સુપરસ્ટાર યશ 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
- અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનમાં 3 ફેંસના મોત 
-  કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત 
 
કન્નડ સુપરસ્ટાર યશને આજે કોઈ પરિચયની જરૂર નથી.  અભિનેતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દેશભરના ફેંસના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. દેશભરમાં તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. KGF અભિનેતા આજે તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને હંમેશની જેમ આ વર્ષે પણ તેમના ફેંસ જન્મદિવસની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન, અભિનેતા યશના ચાહકો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, અહેવાલ છે કે અભિનેતાના ત્રણ ફેંસ તેમના જન્મદિવસની તૈયારી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
 
અભિનેતા યશના બર્થડે સેલિબ્રેશનમાં 3 ફેંસના મોત 
 
સુપરસ્ટાર યશના બર્થડે સેલિબ્રેશનની તૈયારીમાં તેમના ફેંસ એક દિવસ પહેલા જ લાગી જાય છે.  બીજી બાજુ અભિનેતા યશના બર્થડેના ખાસ અવસર પર એક દુખદ ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે  KGF ફેમ યશનુ કટ આઉટ લગાવતી વખતે કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત થઈ ગયા. આ પણ જાણવા મળ્યુ છે કે ઘતનાને કારણે અન્ય ત્રણ લોકો ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા છે.   મળતી માહિતી મુજબ, કટ આઉટ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
 
KGF એક્ટર યશના જન્મદિવસે ક્યાં થયો અકસ્માત?
KGF ફેમ અભિનેતા યશના જન્મદિવસ વિશે ઉત્સાહિત ફેંસ કટ આઉટ લગાવતી વખતે ઇલેક્ટ્રિક કરંટને કારણે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત ગડગ જિલ્લાના લક્ષ્મેશ્વર તાલુકાના સુરંગી ગામમાં મધરાતે થયો હતો. આ ઘટનામાં હનમંતા હરિજન (21), મુરલી નાદવિનમણી (20), નવીન ગાઝી (19)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
એક્ટર યશનો વર્કફ્રંટ 
યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2માં જોવા મળ્યા હતા. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ તેમના ફેંસ ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા હતા. આ પછી યશે હજુ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી, પરંતુ અફવા છે કે તે ફિલ્મ નિર્માતા નીતિશ તિવારીની 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cindy Morgan Death: પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી સિન્ડી મોર્ગનનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ